મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ઉત્તમ ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે સાથે અનેક સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે, જેનાથી વિદ્યાર્થીઓમાં જીવનમૂલ્યો વિકાસ થાય,માનવીય સંવેદના જાગૃત થાય એવી પ્રવૃત્તિઓ થતી રહે છે એ અન્વયે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ છેલ્લા ચાલીસ વર્ષોથી ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં અનેક વિકાસના કામો કર્યા છે પણ હાલ તેઓને કેન્સર જેવી ગંભીર બીમારી લાગુ પડી હોય અને એમનું ઓપરેશન થયું હોય કાંતિભાઈ અમૃતિયા જલ્દી સાજા થઈ જાય એ માટે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ પ્રાર્થનામાં હનુમાન ચાલિશાનો પાઠ કરી એમના દીર્ઘાયું અને સ્વસ્થય,તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી.

