મોરબી તાલુકાના પીપળી ગામે આવેલી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની જગદીશભાઈ પરીહારની 17 વર્ષીય દીકરી પૂજાબેન લગ્ન કરવા ઇચ્છતી હતી. પરંતુ કાયદેસર ઉંમર પૂર્ણ ન થતાં તેની માતાએ ઉંમર પૂરી થયા બાદ લગ્ન કરાવી આપવાની વાત કરી હતી. આ બાબતે મનમાં દુઃખ લાગતા અને ભાવનાત્મક રીતે વ્યથિત બનેલી સગીરાએ આવેશમાં આવી જઈ ગઈકાલના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

