મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તારીખ ૦૫/૧૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૩:૦૦ કલાકે મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ(રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે યોજાશે.
આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા વિવિધ કામો અંગે સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.

