મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઝોન એવા પીપળી જેતપર રોડ માટે મહત્વનો એવો ભરતનગર બેલા રોડ ઘણા સમય થી જર્જરિત હાલતમાં છે આગાઉ આ જગ્યાએ ડામર રોડનું કામ કરાયું હતું પણ વધુ વજનના વાહન ની અવર જવર ના કારણે રસ્તો ગણતરીના દિવસમાં તૂટી ગયા હતા ઉદ્યોગકારોની માંગણી બાદ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા દ્વારા આ વિસ્તારના રોડમાં આરસીસી કામ કરવા રાજ્ય સરકારમાં દરખાસ્ત મૂકી હતી. જે બાદ સરકાર દ્વારા જરૂરી તાંત્રિક અને સૈદ્ધાંતિક મંજુરી આપી જોબ નંબર ફાળવાયા હતા. આબાદમાં આ કામનું ઓનલાઈન ટેન્ડર પણ કરાયું હતું રોડ બનાવનાર એજન્સી ફાયનલ થતા હવે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હોય અને આગામી દિવસમાં તેની કામગીરી શરુ કરવામાં આવશે.
સરકાર દ્વારા આ રોડ ની કામગીરી માટે ઝડપી કાર્યવાહી થતા મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતીયા અને રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલનો અભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

