મોરબીના સામાકાંઠે આવેલ ભુવેનેશ્વરી પાર્ક શોભેશ્વર રોડ જીલ્લા પંચાયત નજીક રહેતા ભાગવતદાસ સરજુદાસ રામાવતે આરોપી ભોજાભાઈ કરમણભાઈ ભરવાડ, મનીષભાઇ ભોજાભાઈ ભરવાડ, રાણાભાઈ મલાભાઈ રાતડીયા અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ જીલ્લા પંચાયત કચેરી નજીક રોડ ઉપર આરોપી ભોજાભાઈની દુકાન સામે ફરીયાદી ભાગવતદાસે ટેબલ રાખેલ હોય જે ટેબલ લેવા બાબતે ભાગવતદાસને આરોપીઓએ ગાળો આપી લાકડી વડે તથા ઢીકાપાટુનો મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

