ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતા દિનેશભાઇ ખેંગારભાઈ ગોહેલે આરોપી રવજીભાઈ પોલાભાઈ રાણવા સામે ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી દિનેશભાઇને આજથી આશરે પંદર દિવસ પહેલા હડમતીયા ગામ ખાતે પાલનપીર મંદિરના મેળામાં આરોપીએ કહેલ કે મારી ફોરવ્હીલ કાર તે કેમ જવા ન દીધી તે બાબતનો ખાર રાખી દિનેશભાઈને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ દિનેશભાઇને માથા ભાગે કપાળે લોખંડના પાઇપના ટુકડા વડે ઇજા કરી હતી.

