મોરબીના મકનસરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની શંકરભાઈ સવાભાઈ સત્રોટીયાએ ગઈકાલના રોજ કોઈ કારણોસર મકનસર ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વળે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી છે.

