મોરબીના રામધન આશ્રમ સામે નિલમબાગ સોસાયટીમાં આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પાબેન સુરેશભાઈ ઘનાણી નામના મહિલાને લગ્નનો 17 વર્ષ જેટલો સમય થવા છતા સંતાન નહી થવાના કારણે મનમાં લાગી આવતા ગત તા. 30 ઓગસ્ટના રોજ પોતાની જાતે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે સીટી બી-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

