મોરબીના ધૂળકોટ ગામે રહેતા નીમુબેન રમણીકભાઈ પરમારે આરોપી જેરામભાઈ ચકુભાઈ રાઠોડ, નરેશભાઈ જેરામભાઈ રાઠોડ અને લાલભાઈ જેરામભાઈ રાઠોડ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી નીમુબેન એકાદ માસ પહેલા પોતાના ધૂળકોટ ગામે આવેલા સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં ગયેલ હોય જે બાબતે આરોપીઓએ એકસંપ કરી ફરિયાદીને જાતિપ્રત્યે અપમાનીત કરી ત્રણેય આરોપીઓએ સોરીયાના હાથા વડે નીમુબેનને વાસાના ભાગે માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

