રાજકોટના શિવ મંદિરમાં આરતી મુદે ઓડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. જે બાદ રાજકોટ પોલીસે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.જોકે આ કાર્યવાહીને પગલે ક્ષત્રિય સમાજમાં વિરોધ શરૂ થયો છે અને પોલીસ તંત્ર દ્વારા કિન્નાખોરી રાખી કાર્યવાહી કરવામાં આવી છે. અને ખોટો કેસ કરી પાસાની કાર્યવાહી કરવામાં આવ્યો છે તેનો વિરોધ ઉઠ્યો છે અને આ મુદ્દાને લઈ આ કાર્યવાહી અગાઉ મોરબી જિલ્લામાં કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ કાર્યવાહીના વિરોધમાં આજે કરણી સેના અને ક્ષત્રીય સમાજના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને પી.ટી.જાડેજા સામે નો કેસ પાછો ખેચવા માંગ કરી હતી

