Monday, July 14, 2025
HomeGujaratમોરબી જિ.પંચાયત C.A./C.S. બનવા માંગતા ગરીબ-મધ્યમ પરિવારના 20 તેજસ્વી છાત્રોને રૂ.15 હજારની...

મોરબી જિ.પંચાયત C.A./C.S. બનવા માંગતા ગરીબ-મધ્યમ પરિવારના 20 તેજસ્વી છાત્રોને રૂ.15 હજારની શિષ્યવૃતિ આપશે

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમીક શાળામાં ધો-1 થી 8 પૈકી 1 વર્ષનો અભ્યાસ કરેલ હોય, ધોરણ-12માં વર્ષ 2025 માં 75 % થી વધુ માર્ક્સ મેળવેલ હોય, હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય અને જેમના કુટુંબની વાર્ષિક આવક 5 (પાંચ) લાખ કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ કોલેજના અભ્યાસની સાથે C.A.તેમજ C.S. બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા આપવા માંગતા હોય તેઓને C.A.તેમજ C.S. બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા પાસ કર્યે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. તેથી ઉપર મુજબની શરતો સંતોષતા હોય તેવા C.A.તેમજ C.S. બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.

પસંદ થયેલ C.A. ફાઉન્ડેશન પાસ કરેલ 20 વિદ્યાર્થીઓ તેમજ તેમજ C.S. ફાઉન્ડેશન પાસ કરેલ 10 વિદ્યાર્થીઓને રૂ.- 15000 શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ તા. 31/08/2025 પહેલા રૂમ નં.146, શિક્ષણ શાખા, પ્રથમ માળ, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ, મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો નમુનો જિલ્લા પંચાયત કચેરી, મોરબીની વેબસાઈટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page