HomeGujaratમોરબીમાં એક સપ્તાહમાં વધુ 75 રખડતા ઢોર ડબ્બે પુરાયાનો તંત્રનો દાવો, છતાં...

મોરબીમાં એક સપ્તાહમાં વધુ 75 રખડતા ઢોર ડબ્બે પુરાયાનો તંત્રનો દાવો, છતાં આખલા યુદ્ધ પર અકુંશ કેમ નહી ?

મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ અલગ-અલગ કામગીરી ઝડપી અને સુદ્રઢ થતી હોવાના દાવા થઇ રહ્યા છે
અને મોરબી મનપાની પ્રાણી રજાંડ અંકુશ શાખા દ્વારા એક સપ્તાહમાં અલગ-અલગ વિસ્તારમાંથી 75 ઢોર પકડી ડબ્બે પૂર્યા હોવાના અને ગૌ શાળામાં મોકલાયા હોવાના દાવા થઇ રહ્યા છે.

મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સતત વધી રહેલા રખડતા ઢોર પર અંકુશ લાવવા મહાનગર પાલિકા દ્વારા પ્રાણી રજાંડ અંકુશ શાખા કાર્યરત કરવામાં આવી છે અને તે શાખા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ સમયે રખડતા ઢોર ડબ્બામાં પૂરી રહી છે, ત્યારે છેલ્લા 21 મે થી 27 મે દરમિયાન અવની ચોકડી, બાપા સિતારામ ચોક, નગર દરવાજા વિસ્તાર, મંગલ ભુવનચોક, શનાળા રોડ, રવિ પેલેસ સોમનાથ પેલેસ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 75 ઢોર પકડી ગૌ શાળા ખાતે મુકવામાં આવેલા હતા. પકડાયેલ બે પશુ માલિકીના હોવાનું સામે આવતા તેને રૂ. 8000 હજાર નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ઘાસ વેચાણ કરતા 11 વિક્રેતાને તેમજ ત્રણ પશુ માલિકીને લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

જોકે આટલા ઢોર પકડવા છતાં આખલા યુધ્ધ કેમ અટકવાનું નામ નથી લેતા મુખ્ય માર્ગો હોય કે વોર્ડ વિસ્તાર સતત વધી રહેલા આ ઢોર ગૌ શાળામાં સચવાઈ છે કે કેમ તે અંગે મનપા દ્વારા ચોક્કસાઈ કરાઈ છે કે કેમ એકવાર પકડાયેલ ઢોર ફરી માર્ગ પર ન આવે અને આવે તો તેની ઓળખ માટે ટેગિંગ કરાઈ છે કે કેમ તે પણ સવાલ છે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW