હળવદના નવા દેવળીયા ગામની સીમમાં આવેલ રમેશભાઈ અંબારામભાઈ પટેલની વાડીએ રહેતા અને મૂળ પંચમહાલના વતની જયેશકુમાર અર્જુનભાઈ નાયક મોબાઇલમાં ગેમ રમતો હોય અને ખેતી કામ કરતો ન હોય જે બાબતે તેના પિતાએ બપોરના સમયે જમતી વખતે ઠપકો આપતા જયેશને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે વાડીએ આવેલ ઓરડીમાં લોખંડની એંગલ સાથે સાડીનો ગમચો બાધી ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

