ટંકારા પોલીસ મથકમાં આવતી કમ્ફર્ટ રિસોર્ટમાં ગત નવેમ્બર 2024 પોલીસે જુગારનો દરોડો પાડ્યો હતો જેમાં રાજકોટ જામનગર અને મોરબીના કેટલાક જુગારીઓને ઝડપી તેમાં ગુન્હો નોધવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાના કેટલાક દિવસ બાદ પોલીસે લાખો રૂપિયાનો તોડ થયા ની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઇ હતી જે બાદ એસ એમ સી આઈ જી નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા તપાસ કરી હતી તેમજ પોલીસ કર્મીઓની પૂછ પરછ કરવામાં આવી હતી બાદમાં પોલીસ ઇન્સ્પેકટર વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સિંહ સોલંકી સામે ગુન્હો નોધવામાં આવ્યો હતો આ ગુન્હો નોધાયા બાદથી બન્ને પોલીસ કર્મીઓ ફરાર હતા આ ફરિયાદ ની તપાસ લીંબડી ડીવાયએસપી તપાસ કરી રહ્યા છે પોલીસની ટીમે બન્ને ફરાર પોલીસ કર્મીઓના ઘરે સબંધી તેમજ તેઓ અન્ય ક્યાં છુપાયેલ હોઈ શકે તેવી તમામ જગાએ તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા પોલીસે બન્ને આરોપીને ફરાર જાહેર કરવા દરખાસ્ત કરતા મોરબી સેસન્સ કોર્ટ દ્વારા BNSS કલમ ૮૪ મુજબ બન્ને પોલીસ કર્મીઓને ભાગેડુ જાહેર કર્યા હતા અન


