મોરબીના નવલખી રોડ પર આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ હરેશભાઈ મકવાણાએ ગત તા.- 11/04/2025ના રોજ આર્થિક સંકડામણના કારણે પોતાની મેળે પોતાની મોરબી નવલખી રોડ પર આવેલ હિતેશ માર્કેટીંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સીની ઓફીસમા જંતુનાશક દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ગઈકાલના રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.