ટંકારાના નસીતપર ગામે દિનેશભાઇ કુંડારીયા અને મૂળ એમપીના વતની મંગલસિંહ ભુરલાભાઈ મંડલોઈ ગત તા.-28/02/2025ના રોજ તમાકુની ડબ્બી લેવા મોરબી ગયેલ હોય જે બાદ પાછા વાડીએ મોડા આવતા તેઓને તેની પત્નીએ કહેલ કે, વાડીએ કામ હોય અને તમો ખોટા રખડો છો જે બાબતે મંગલસિંહને તેની પત્ની સાથે બોલાચાલી થતા લાગી આવતા મંગલસિંહે ગઈકાલના રોજ પોતાની જાતે વાડીએ રાખેલ જંતુનાશક ઝેરી દવા પી જીવન ટુકાવ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

