મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર ડી.વી.ખરાડી અને તેમની ટીમ નાઈટ રાઉન્ડમાં હોય દરમ્યાન કણકોટ ગામથી રેલ્વેસ્ટેશન રોડ પર એક અસ્થીર મગજનો પુરુષ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા તેનું નામ અજયભાઈ રાજુભાઈ રાઠોડ અને રાજકોટ રણછોડદાસ આશ્રમ પાસે ચામુંડા સોસાયટી મુળ. કુવાડવા તા.જી.રાજકોટના વતની હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસમાં પોતાના ઘરેથી કોઇ ને કહ્યા વગર નીકળી ગયેલ હોય તેના પરીવાર નો સંપર્ક કરી તેના પરીવાર સાથે શુખદ મીલન કરાવી પોલીસ પ્રજાનો મિત્રનુ સુત્ર વાંકાનેર તાલુકા પોલીસે સાર્થક કરેલ છે.