Monday, February 17, 2025
HomeGujaratજોડિયાના જામદુધઈમાં પિતાના અવસાન બાદ પુત્રીએ મુખાગ્ની આપી અંતિમ સંસ્કાર આપ્યા

જોડિયાના જામદુધઈમાં પિતાના અવસાન બાદ પુત્રીએ મુખાગ્ની આપી અંતિમ સંસ્કાર આપ્યા

વર્તમાન સમયની આ ઉક્તિને ચરિતાર્થ કરતું ઉદાહરણ એટલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામની દીકરી સુહાનીબેન રાજેશભાઈ ગાંભવા.

આ ઘટના એવી ઘટે કે, સુહાની બેનના પિતા રાજેશભાઈ ત્રિકુભાઈ ગાંભવા જોડિયા તાલુકાના કેશીયા ગામે હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને તેઓનું તારીખ: 20/01/2025ના રોજ અકસ્માતે અવસાન થયું હતું. તેમને સંતાનોમાં બે દીકરીઓ છે. તેમાંથી મોટા દીકરી સુહાનીબેન પિતાનું સપનું સાકાર કરવા રાજકોટમાં કોમ્પ્યુટર એન્જિનિયરરીંગનો અભ્યાસ કરે છે. તા. 21/01/2025ના રોજ જામદુધઈ મુકામેથી જ્યારે ધર્મપ્રેમી અને ખૂબ જ લાગણીશીલ સ્વભાવ ધરાવતા રાજેશભાઈની સ્મશાન યાત્રા નીકળી તો તેમના કુટુંબની સાથે અનેક લોકો આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા. પરંતુ વિશેષ વાત એ હતી કે, દીકરી સુહાનીએ પિતાની સ્મશાન યાત્રામાં પિતાને કાંધ આપી એટલું જ નહીં પરંતુ, પુત્રની જેમ તેમને મુખાગ્ની આપી અંતિમસંસ્કાર કર્યો હતો અને વર્તમાન સમાજને એક નવું ઉદાહરણ પુરુ પાળ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW