ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામના આર્મી જવાન પરેશકુમાર સારેસાનું શારીરિક બીમારી સબબ અમદાવાદ આર્મી હોસ્પીટલમાં અવસાન થયું છે. હાલ તેઓ જમ્મુના ઉધમપુરના આર્મી કેમ્પ ખાતે હવલદાર પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતા. આર્મી જવાનનુ મૃત્યુ નિપજતા પરિવાર પર સંકટનો વાદળ ઘેરાયા છે ત્યારે સહિદ પરીવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે મોરબીના શનાળા ગામે ઉત્તમ દાખલો બેસાડ્યો છે. સમસ્ત શનાળા ગામના યુવાનો દ્વારા સહિદ જવાનના પરિવાર માટે ફાળો એકત્ર કરી રૂ. 50,000નું અનુદાન સહિદ પરીવારને અર્પણ કરવામાં આવ્યું છે.

