રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. 31 ડીસેમ્બરથી 06 જાન્યુઆરી સુધી દ્વિતીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
રઘુવંશી યુવક મંડળ આયોજિત આ કથામાં દરરોજ સવારે 09:30 થી 12:30 અને બપોરે 03:30 થી સાંજે 06:30 સુધી કથાકાર નરેશભાઈ રાજ્યગુરુ વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. જેમાં 31 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે જલારામ પ્રાર્થના મંદિરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા નીકળશે. કથા દરમિયાન દરરોજ પાવનકારી પ્રસંગો યોજાશે. 1 ડિસેમ્બરના રોજ રાત્રે 09:30 કલાકે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે. જેમાં નિધિબેન ધોળકીયા- ગ્રુપ ઉપસ્થિત રહેશે. 2 ડિસેમ્બરના રોજ રાત્રે 09:30 કલાકે હરેશભાઈ રાજ્યગુરુના મધુર સ્વરે રાસની રમઝટ બોલશે. 4 ડિસેમ્બરને શનિવારે રાત્રે 09:30 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાગાર સાગરદાન ગઢવી ઉપસ્થિત રહેશે. 6 જાન્યુઆરીના રોજ સવારે 10:30 થી 12:00 વાગ્યા સુધી દાતાઓ તથા મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાશે. 6 જાન્યુઆરીના રોજ સાંજે 06:30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. કથા દરમિયાન ભોજન પ્રસાદની વ્યવસ્થા રવાપર રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભુવન મુકામે કરવામાં આવી છે.

