મોરબીના રાજપર ગામે રહેતા અને મૂળ દાહોદના વતની ઉષાબેન ભવરસિંગ પરમાર નામના પરણિતાએ ગઈકાલના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

