Monday, February 17, 2025
HomeNationalમોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક થાળી એક થેલી અભિયાનની શરૂઆત કરાઈ

મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક થાળી એક થેલી અભિયાનની શરૂઆત કરાઈ

તા. 13 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી પ્રયાગ, ઉત્તરપ્રદેશમાં મહા કુંભ મેળો યોજાવાનો છે. 12 વર્ષ બાદ યોજાનાર આ કાર્યક્રમમાં 100 દેશોમાંથી 45 કરોડથી વધુ ભક્તો હાજરી આપશે એવો અંદાજ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ આ મહાકુંભને કચરા-મુક્ત (પ્લાસ્ટિક-મુક્ત) બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે, હાથ ધર્યું છે. તેથી દેશભરમાંથી સ્ટીલની પ્લેટો અને કાપડની થેલીઓ એકત્ર કરવામાં આવી રહી છે. સંઘની પર્યાવરણ સુરક્ષા પ્રવૃત્તિ સંસ્થાને આ કાર્ય હાથમાં લીધુ છે. સમગ્ર દેશમાથી, એકત્રીત થનાર આ પ્લેટો અને થેલીઓ મહાકુંભમાં અખાડાઓ અને લંગર ચલાવતી સંસ્થાઓને મોકલવામાં આવશે.

જમવા માટેના કે નાસ્તા માટે વપરાતા ડિસ્પોઝલ ડીશ વાટકા કારણે આ મહાકુંભમાં દરરોજ 4 હજાર ટનથી વધુ કચરો પેદા થાય તેવી સંભાવના છે, તેવો અંદાજ છે. તેથી આ વખતે સંઘે મહાકુંભને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે, આ પ્રકારનુ અભિયાન હાથ ધર્યુ છે. જો કોઈ વ્યક્તિ પોતે પ્લેટ અને બેગ ખરીદી શકતો નથી. તો તે 100 રૂપિયા, સહયોગ રાશી આપીને આ કાર્યને ટેકો આપી શકે છે. આ માટે સ્ટીલ પ્લેટની કિંમત 75 રૂપિયા અને કાપડની થેલીની કિંમત 25 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સંઘના સ્વયંસેવકો અને પ્રચારકો, સંઘના આ એક થાળી એક થેલો અભિયાન અર્થે આવશે, તો એ વખતે આપ પણ એક થાળી અને એક થેલો આપીને અને ન હોય તો સો રૂપિયા સહયોગ રાશી આપીને પ્રયાગરાજના આ મહાકુંભને સ્વચ્છ રાખવામાં આપનો સહયોગ આપવા જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW