માળિયાના સરવડ ગામની સીમમાં ભનાભાઇ રમેશભાઇ પટેલની વાડીએ રહેતી અને ત્યાં કામ કરતી અનીતાબેન શોભારામ ડામોર નામની યુવતી ખેતરમાં દવા છાંટતી હોય તે દરમિયાન યુવતીને ઝેરી દવાની અસર થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પીટલમાં અને બાદમાં સારવાર માટે એમપીની રતલામ ચીકીત્સા મહા વિધ્યાલય હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડી ગયા હતા. જ્યાં તા.08/12/2024ના રોજ સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે યુવતીને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. જે મામલે એમપી પોલીસે માળીયા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

