સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતા મંજુબેન ભીખાભાઇ પારધી અને દાનીબેન ગત તા.- 12/12/2024ના રીક્ષામાં બેસી થાનથી વાંકાનેર તરફ જતા ત્યારે હસનપર જાલી ચોકડી નજીક અજાણ્યા ડમ્પરના ચાલકે પુર ઝડપે ડમ્પર ચલાવી આવતા રીક્ષાની પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મંજુબેનને પગે ફેકચર જેવી ઇજા કરી શરીરે મુઢ ઇજા કરી તેમજ સાહેદ દાનીબેન ડાબા પગની પેનીના ભાગે ઇજા પોહચાડી હતી. આ મામલે મંજુબેને તે અજાણ્યા ડમ્ફર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

