હળવદના કોયબા ગામે રહેતા અને મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અર્જુનભાઇ બીજલભાઈ તડવી નામના આધેડ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર કોયબા ગામના તળાવમાં ડૂબી જતાં તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

