મોરબીના શનાળા રોડ ખાતેના એસટી ડેપોમાં અંબાજી માતાનું મંદિર બનવવામાં આવ્યું છે અને તેમા માતાજીની સ્થાપના કરી તેની નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આ મોરબી નવા બસસ્ટેશન સ્થિત શ્રી અંબાજી માઁ મંદિરનો તાજેતરમાં પ્રથમ પાટોત્સવ ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પાટોત્સવ અને ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહાયજ્ઞ, મહાઆરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યુ હતુ.

મોરબી એસ.ટી. વિભાગ ના છેલ્લા ૨૫ વર્ષ માં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓની ઉપસ્થિતી માં મંદિર નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ આયોજન ને સફળ બનાવવા મોરબી એસ.ટી. ડેપો મેનેજર અનિલભાઈ પઢારીયા, મોરબી એસ.ટી. ડેપો ટી.સી. ડી.એન.ઝાલા , યોગેશભાઈ જાની સહીત ના કર્મચારીઓએ જહેમત હતી

