વાંકાનેરના ઠીકરિયાળા ગામે રામજી મંદિર ચોકમાં ગરબી યોજાતી હોય છે. જેમાં ગત તા.8ના રાજ રાત્રીના બાળાઓ રાસ ગરબા રમતી હતી. ત્યારે આરોપી હર્ષદ રાજાભાઈ નાકિયા, દેવ ડાભી અને એક અજાણ્યા શખ્સે પોતાનું બાઈક ત્રણ વખત રાસ ગરબા રમતી બાળાઓના વર્તુળમાથી વાંરવાર પસાર થઇ બાળાઓની છેડતીનો પ્રયાસ કરતા હોય, જેથી ગરબી મંડળના સભ્ય અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણીએ ત્રણેય શખ્સોને રોકતા આરોપી દેવ ડાભીએ છરી બતાવી ત્રણેય આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણીએ તે ત્રણેય શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

