વાંકાનેરના સરધારકા ગામે રહેતા ઇસ્માઇલભાઇ આમદભાઇ શેરસીયા નામના આધેડએ ગઈકાલે તેની વાડીએ સરધારકા ગામની સીમમાં હોય ત્યારે કોઈ કારણોસર ઇલેકટ્રીક શોક લાગતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

