મોરબીના રફાળેશ્વર ભરવાડ વાસમાં રહેતા ખોડાભાઈ જગાભાઇ પાંચિયાને ગઈકાલે પોતાના રહેણાંક મકાને હોય તે દરમિયાન શરીરે પરસેવો વળતા,છાતીમાં બળતરા તેમજ દુઃખાવો થતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને હાર્ટ એટેક આવતા મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

