(1) મોરબીની ગજાનંદ પોટરીમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું
મોરબીના નજરબાગ સાયન્સ કોલેજ ભડિયાદ રોડ નજીક રહેતા રામદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા નામના આધેડે ગઈકાલે મોરબી-2 જીવરાજ પાર્ક ગજાનંદ પોટરીમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
(2) મોરબીની વિહાર હોટલ પાસે આવેલી પોતાની દુકાનમાં જ પેટ્રોલ છાંટી સળગી જનાર યુવાનનું મોત
મોરબી બેલા પીપળી રોડ પાસે આવેલ મારુતીપાર્ક સોસાયટીમાં રહેતા લાલજીભાઇ મનસુખભાઇ પરમારની મોરબી બેલા પીપળી રોડ, વિહાર હોટલ પાસે આવેલ તેની દુકાનમાં તા-14/09 ના રોજ બપોરના બારેક વાગ્યાની આસપાસમાં પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી સળગતા દાઝી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

