વડોદરા શહેરમાં આવેલા ભારે વરસાદ અને અકલ્પનિય પૂર આવેલુ હતું. વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ ની ભૂમિ અને ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી ની પ્રસાદીક ધરતી ના પૂરગ્રસ્ત જનતા ના આરોગ્ય ની નિરંતર ચિંતા કરતા પ્રગટ ગુરુહરિ પ્રબોધસ્વામીજી મહારાજ ના આશીર્વાદ થી આજરોજ થી હરિસ્વરૂપ પ્રદેશ (વડોદરા) મા મેડિકલવાન ની સેવા પૂજ્ય સુચેતનસ્વામી અને પૂજ્ય સંતોષસ્વામી અને વડોદરા ની મંગલમ હોસ્પિટલ (વાસણારોડ), ટ્રાયકોલર હોસ્પિટલ(ગેંડા સર્કલ), કાલ્પવૃક્ષ મલ્ટી હોસ્પિટલ (વાઘોડિયા રોડ), ગ્લોબલ સનસાઈન હોસ્પિટલ(માંજલપુર)જેવી વડોદરા ની પ્રખ્યાત હોસ્પિટલના ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ ડોકટરો ની ટીમ દવા સાથે ચાર થી પાંચ (4થી 5)મેડિકલવાન ડોક્ટરોની ટીમ અને હરિપ્રબોધમ સમાજના સ્વયંસેવકો સાથે ચાલુ કરી છે. આજ રોજ મોટનાથ મહાદેવ, હરણીના પાછળનો એરિયા, મંગલેશ્વર ફતેપુરા રાજીવનગર, દિવાળીપુરા, અકોટાગામ, વાસણારોડ વગેરે ના આજુબાજુ ના એરિયામા જનતા એ લાભ લીધો છે, અને હજુ 2 થી 3 દિવસ અલગ-અલગ પૂરગ્રષ્ટ વિસ્તારમા લાભ મળશે.


