તાજેતરમાં જ વરસાદે સમગ્ર રાજ્યમાં ધમરોળીને નુકસાન કર્યું છે ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધારે વરસાદથી ખેડૂતોના ઉભા પાકમાં પાણી ઘૂસી ગયા છે જેને લઈને કપાસ, મગફળી સહિતના પાકમાં મોટાભાગની નુકસાની થવા પામી છે તેમજ દીઘડિયાથી સરા, મયુરનગરથી રાયસંગપર , કોઇબાથી નવા કોઈબા, ઘણાદથી રણમલપુર સહિતના પુલો તૂટી ગયા છે તેમજ રોડ રસ્તાઓને ભારે નુકસાની થઈ છે ત્યારે આ તમામ વસ્તુઓનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેમજ રોડ રસ્તાઓ અને પુલોની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરતો પત્ર હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા મુખ્યમંત્રીને લખ્યો છે

