આજ રોજ મોરબી ડેપો ખાતે બી. એમ. એસ. યુનિયનના આપણા મહાસંઘના આગેવાન મોરબી ડેપો ના ટી.સી. મુનાફભાઈ ચાનીયા ( મુન્નાભાઈ) વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતાં તેમનો નિવૃત્ત વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં બી. એમ.એસ.યુનિયન રાજકોટ વિભાગ ના પ્રમુખ ડી. એન. ઝાલા, મહામંત્રી હાલુભા ઝાલા, ડેપો મેનજર પઢારિયા સાહેબ, હરેશભાઈ ચાઉ, પરેશભાઈ ગોંડલિયા, એ.ટી.આઇ. વાઘુભા ઝાલા સહિતના ડેપોના કર્મચારી તથા બી.એમ.એસ. યુનિયનના આગેવાનો તથા ટેકેદારો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યા મા હાજર રહેલ હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

