મોરબીના પાનેલી ગામમાં રહેતા જીતેન્દ્રભાઈ તેજાભાઈ સોલંકીએ માનસિક બીમારીથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરજ પરના ડોકટરે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

