મોરબીની નરસંગ ટેકરી પાસે આવેલ ટીન એપાર્ટમેન્ટમાં રહેતા ક્ન્નભાઈ જેવડેભાઈ કામીએ છેલ્લા ત્રણેક મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા. બાદમાં ગઈકાલે તેઓએ માનસિક બીમારીથી કંટાળી મોરબી અવની ચોકડી પાસે સંકલ્પ એપાર્ટમેન્ટની સામે ચામુંડા ટી સ્ટોલ નામની ચાની કેબીન પાછળ લાકડાના છાપરામાં લાકડા સાથે ફદો લગાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

