મોરબીના ગોકુલનગર બાપા સિતારામ મઢુલી પાસે રહેતા પ્રવીણભાઈ નારણભાઈ કંઝારીયા એ રિક્ષા લઇ જતા હતા. તે સમયે આરોપી અર્જુન સલાટ અને સચિન દેગામાએ ફરિયાદીને રિક્ષા ઉભી રાખવા બાબતે ઇસારો કરતા ફરીયાદીએ પોતાની રિક્ષા ઉભી ના રાખતા, જે બાબતનો ખાર રાખી બંને આરોપી તેની પાછળ જઈ પ્રવીણભાઈને શરીરના ભાગે ઢીકા પાટુનો મૂઢમાર મારી ગંભીર ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે પ્રવીણભાઈએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં તે બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

