ટંકારાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ દાહોદના ધાનપુર તાલુકાના વતની મહેશભાઈ રૂપસિંગભાઈ મોહનીયા ઉ.24 નામનો યુવાન ગત તા.27ના રોજ ગણેશપર ગામની સીમના તળાવમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મરણજનારના પિતાએ ટંકારા પોલીસને જાણ કરતા, પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

