મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ પર નેહરુગેટ ચોક નજીક આવેલી ત્રણ દુકાન દારોએ કોઈ પણ પ્રકારની મંજુરી વિના તેમજ ફાયર સેફટી સાધનો વિના રીટેઈલ ગેસ સીલીન્ડરનું વેચાણ કરતા હોવાની પુરવઠા વિભાગને ફરિયાદ મળી હતી આ ફરિયાદ બાદ જાગેલી પુરવઠા વિભાગ ફાયર વિભાગ સહિતની ટીમે આ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું અને આ કામગીરી દરમિયાન દેવચંદ વશરામ એન્ડ સન્સ, બુરહાની ટ્રેડર્સ તેમજ રાજ ટ્રેડર્સ એમ ત્રણ વેપારીઓને ત્યાંથી 100 કિલોથી વધુના જથ્થામાં ગેસ સીલીન્ડર તેમજ ફાયર પ્રિવેન્સન સીસ્ટમ લગાવેલ ન હોય જેથી પાલિકા દ્વારા ત્રણેય દુકાનો સીલ કરી દેવાઈ હતી તેમજ દુકાન દીઠ રૂ 5000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો ત્રણ દિવસ બાદ દુકાનદારોએ આગામી દિવસમાં જોખમી ગેસ સીલીન્ડર વેચાણ ન કરવાની લેખિત ખાતરી આપ્યા બાદ તમામ દુકાનોના સીલ ખોલવાની કામગીરી હાથ ધરી હતી.

