મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર ધર્મવીર સોસાયટીમાં તુલસી ટ્વીન્સ ફ્લેટમા રહેતા શારદાબેન પ્રકાશભાઈ મારવાણિયા ઉ.45 નામના પરણીતા ફેલટના પાંચમા માળે સાફ સફાઈ કરતા હોય, તે વખતે શારીરિક સંતુલન ગુમાવતા પાંચમા માળેથી નીચે પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પરણીતાના પતિએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

