મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કોન્સટેબલ પૃથ્વીરાજ સિંહ જાડેજા દેશના અલગ અલગ પર્વત સર કર્યા બાદ તાજેતરમાં તેઓ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શનમાં આફ્રિકા ખંડના તાન્જાનિયા દેશમાં આવેલા સૌથી ઊચા એવા કીલીમાન્જારો પર્વત સર કરવાની સ્પર્ધામાં ભાગ લેવા પહોચ્યા હતા તેઓએ આ પર્વતની સૌથી મોટી શિખરની 5895 મીટર એટલે કે લગભગ 19 341 ફૂટ જેટલી ઉચાઇ સર કરી મોરબી પોલીસ તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતું પૃથ્વીરાજ સિહની આ કામગીરી માટે તેઓને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
પૃથ્વીરાજ સિંહ દ્વારા ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પુરમાં ફસાયેલ બાળકોને બચાવવા કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા અને બે બાળકીને હેમ ખેમ બહાર લાવી તેમનો જીવ બચાવી શોર્યનું કામ કર્યું હતું

