Tuesday, July 2, 2024
HomeGujaratનવા માલણીયાદ પાસે કેનાલમાથી ખેત શ્રમિકની લાશ મળી

નવા માલણીયાદ પાસે કેનાલમાથી ખેત શ્રમિકની લાશ મળી

Advertisement

હળવદ તાલુકાના નવા માલણીયાદ પાસેથી ઘણાંદની સીમમાંથી પસારથતી માળિયા બ્રાંચ કેનાલમાં ડૂબી ગયેલા ખેત શ્રમિકની લાશ ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ભારે શોધખોળ બાદ મળી આવી હતી લાશને હળવદ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી તો સાથે પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદમાથી પસારથતી માળિયા બ્રાંચ કેનાલમાં ઘણાંદ ગામની સીમમાં જયંતીભાઈ ગોવિંદભાઈની વાડીએ પરિવાર સાથે મજૂરી કામ કરવા આવેલ રાજુભાઈ અમરશીભાઈ સોમવારે સાંજના સમયે માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે પાણી ભરવા ગયા હતા ત્યારે રાજુભાઈનો પગ લપસતા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જોકે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શ્રમિકની શોધખોળ કરવામાં આવી રહી હતી તો સાથે ઘટના અંગે હળવદ પાલિકાની ટીમને જાણ કરવામાં આવતા હળવદ પાલિકાની તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી કેનાલમાં ગરકાવ થઈ ગયેલ યુવાનની શોધખોળ હાથ ધરી હતી જેમા નવા માલણીયાદ પાસે ખેત શ્રમિકની લાશ મળી આવતા લાશને પીએમ અર્થે ખસેડવામા આવી હતી અને ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,983FollowersFollow
1,880SubscribersSubscribe

TRENDING NOW