HomeGujaratમોરબીમાં નિર્માણાધિન સ્વામીનારાયણ ગુરુકુળની બાંધકામ સાઈટ માં શ્રમિકને વીજ શોક લાગતા મોત

મોરબીમાં નિર્માણાધિન સ્વામીનારાયણ ગુરુકુળની બાંધકામ સાઈટ માં શ્રમિકને વીજ શોક લાગતા મોત

મોરબી શહેરના સામા કાંઠે  મચ્છુ નદીના કિનારે બની રહેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં કામ કરતાં શ્રમિકને શોખ લાગતા તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે બી ડિવિઝન પોલીસે એડી નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સામા કાંઠે મચ્છુ નદીના કિનારે બની રહેલા સ્વામિનારાયણ ગુરુકુળના નિર્માણ દિન બાંધકામ માં કામ કરતા  શ્રમિકો મોડી સાંજ સુધી કામ કરતા હતા  તે દરમિયાન આકસ્મિક રીતે એક શ્રમિકને વીજ શોક લાગ્યો હતો જેથી તેને ગંભીર હાલતમાં મોરબીની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે  ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસ ની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી મૃતકનું નામ સલમાન રસુલભાઇ મોવર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું આં અંગે બી ડિવિઝન પોલીસે એડી નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW