મોરબી તાલુકાના ખેવારીયા અને નારણકા ગામના રસ્તો અંત્યત ખખડધજ બની જતા ખતરનાક બની ગયો છે ગમે ત્યારે આ ખતરનાક રોડ અકસ્માત સર્જે તેવી ભીતિ હોવાની અનેક રજુઆત છતાં રસ્તા મુદ્દે તંત્ર હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન કરતા ગ્રામજનોની સલામતી રામભરોસે મુકાય ગઈ છે.
મોરબી તાલુકાના ખેવારીયા ગામથી નારણકા ગામ જવાના રસ્તે ખેવારીયા ગામ નજીક આવેલ તળાવની પાર પાસેનો રસ્તો જર્જરીત હાલતમાં છે એટલું જ નહિં રસ્તા પાસે જ તળાવ હોય રાત્રિના સમયે પસાર થતાં વાહન ચાલકો જો ભુલ ખાઈ જાય તો અકસ્માત સર્જાય શકે છે. આ સંદર્ભ નારણકા ગામના મહિલા સરપંચ ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ અગાઉ રજૂઆત કરી હતી. તેમણે અગાઉની લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, ખેવારીયાથી નારણકા ગામ વચ્ચેના રસ્તા પર ગામેરી કુવા પાસે તથા નારણકા-ખેવારીયા વચ્ચે નાલા બનાવવાની ખાસ જરૂરિયાત છે. તેમજ ખેવારીયા ગામના વિવિધ ખાતેદાર ખેડૂતોએ નારણકા ગામ જવાના રસ્તે એકદમ નજીક ખેત તલાવડા બનાવેલ છે જે અત્યંત ભયજનક છે.

