મોરબીના ભરતનગર ગામની સીમમાંથી રૂપસિંગ મહેન્દ્રભાઈ ડોડવા નામનો શખ્સ સગીરાને ભગાડી એમપી લઇ ગયો હતો.અને આ ગુનોનામાં પાંચ મહિનાથી ફરાર હતો જેની પોલીસ શોધખોળ કરી હતી દરમિયાન બાતમી મળી હતી કે આરોપી રૂપસિંગ મહેન્દ્રભાઈ ડોડવા અલીરાજપુર એમપીમાં તેના વતનમાં હોય જે બાતમી આધારે પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોચી હતી અને બખતગઢ ચીખોડા ખાતેથી તેને પકડી પાડ્યો હતો.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદ નોધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

