Thursday, May 16, 2024
HomeGujaratમોરબી શહેરમાં મેન્ટેનસ કામગીરીને પગલે ત્રણ વિસ્તારમાં રહેશે વીજકાપ

મોરબી શહેરમાં મેન્ટેનસ કામગીરીને પગલે ત્રણ વિસ્તારમાં રહેશે વીજકાપ

મોરબી શહેરમાં લાઈન મેન્ટેનન્સ અને ફોલ્ટ રીપેરીંગ કામગીરીને પગલે ફરી એકવાર વીજકાપનો સીલ સીલો શરુ થઇ ગયો છે પીજીવીસીએલના મોરબી શહેર પેટા વિભાગ ૨ દ્વારા આવતીકાલે એટલે કે તારીખ ૨૪ એપ્રિલના રોજ ૬૬ કે.વી. અમરેલી એસ.એસ.નું સમારકામનું આયોજન કરાયું છે જેના કારને મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા ત્રણ ફીડર વાવડી રોડ, ચિત્રકૂટ ફીડર અને શ્રધ્ધા ફીડરમાં આવતીકાલે સવારે ૬.૩૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે.
ત્રણ ફીડરમાં આવતા વિસ્તાર આ મુજબ છે
(૧) વાવડી રોડ ફીડર :
રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, અશોકપાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રી નગર, કુબેર નગર ૧-૩, માધાપર તથા આસપાસ ના વિસ્તારો
(૨) ચિત્રકૂટ ફીડર:
નવલખી રોડ, નવી-જૂની રેલવે કોલોની, જુના મહાજન ચોક, નવાડેલા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, ઘાંચી શેરી, સ્ટેશન રોડ વગેરે હેઠળ આવતા આસપાસના વિસ્તારો.
(૩) શ્રધ્ધા ફીડર:
નિધિ પાર્ક, રણછોડ નગર, યમુના નગર, લાયન્સ નગર, વી.સી. પરા, અમરેલી રોડ, શાંતિવન સોસાયટી, મદીના સોસાયટી, વિજય નગર વગેરે હેઠળ આવતા આસપાસના વિસ્તારો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,947FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW