Monday, February 17, 2025
HomeGujaratહે ભગવાન ! ડાકોરધામમાં આરતી વખતે ભક્તો વચ્ચે છુટા હાથે મારામારી

હે ભગવાન ! ડાકોરધામમાં આરતી વખતે ભક્તો વચ્ચે છુટા હાથે મારામારી

ખેડા જિલ્લામાં આવેલા કાળીયા ઠાકોર ના ધામ એવા ડાકોરમાં સોમવારે વહેલી સવારે મંગળા આરતી સમયે ભક્તો વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી. ભગવાનના મંદિરના ઘુમ્મટમાં જ ભક્તો બાખડ્યા હતા. જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે. જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.
યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળાઆરતી સમયે જ મારામારીના દ્દશ્યો સર્જાયા હતા. મંદિરના ઘુમ્મટમા જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી. જોકે, આ છુટાહાથની મારામારીના દ્દશ્યો કેમેરામાં કેદ થયા હતા.

મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનનાં દ્રાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભ ગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી. મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા આ બબાલ કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW