HomeGujaratહળવદમાં વૃદ્ધના ઘરમાં નડતર હોવાનું જણાવી વિધિના નામે બે ગઠીયા 39 હજાર...

હળવદમાં વૃદ્ધના ઘરમાં નડતર હોવાનું જણાવી વિધિના નામે બે ગઠીયા 39 હજાર સેરવી ગયા

હળવદ તાલુકાના સારા રોડ પર આવેલા આલાપ પાર્કમાં રહેતા અને ઈશ્વરભાઈ મહાદેવભાઈ જસાપરા નામના વૃદ્ધને બે અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ પટેલ સમાજના હોવાની આપી તેમને વિશ્વાસમાં લીધા હતા બાદમાં તેને કોઈ નડતર હોવાનું કહી વિધિ કરાવવી પડશે તેમ જણાવતા વિધિ કરાવવાં રૂપિયાની માંગણી કરતા ઈશ્વર ભાઈએ બન્ને આરોપીને 39,200 આપ્યા હતા જોકે આ રૂપિયા લઇ બન્ને શખ્સ રફચક્કર થઇ ગયા હતા જેથી વૃદ્ધે તેની સાથે છેતરપીંડી થયાનો ખ્યાલ આવતા તેમણે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે હળવદ પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW