મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલા સંજયભાઈ પાડલિયાની વાડીમાં મજુરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની સાનીયા તુવસિયા નિગવાલ નામના 40 વર્ષીય આદિવાસી યુવકને વતનમાં પાકું મકાન ન હોય મહેનત કરવા છતાં મકાન માટે રૂપિયા ન થતા ચિંતામાં રહેતો હતો અને તે બાબતે લાગી આવતા યુવકે પોતાની મેળે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બાદ યુવક ને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

