અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરનો આગામી 22 જાન્યુઆરી ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવની તમામ લોકો ઉજવણી કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય કર્મચારીઓને અડધા દિવસની રજા જાહેર કર્યા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા પણ જાહેરનામું બહાર પાડી 22 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 સુધી તમામ સરકારી કચેરીમાં રજા જાહેર કરી છે. બપોર બાદ તમામ સરકારી કચેરી બંધ રહેશે અને અયોધ્યા ખાતે યોજાનારા કાર્યક્રમનો લ્હાવો માણી શકશે

