ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થઈ માદરે વનત આવતા ભાવેશભાઈ નરસિંહભાઈ કણઝરીયાનું ભવ્યા સ્વાગત કરવામાં આવ્યું હતુ. હળવદ તાલુકાના ઘનશ્યામ નગર (નવા ધનાળા) ગામના વતની અને ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થઈ માદરે વતન પરત આવતા બાઈક રેલી યોજી અને ગામમાં વરઘોડો કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ પટેલ, ગુજરાત બજરંગદળ સંયોજક ભાવેશભાઈ ઠક્કર, રવજીભાઈ, સરપંચ, પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા

